SMVS Bhale Dayalu
844 subscribers
1.38K photos
256 videos
26 files
1.73K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આજે હરિનવમી છે.

🎂 હરિનવમી એટલે આપણાં વ્હાલા સર્વોપરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ.

🎊 દરેક મુક્તોએ ઘરે રહીને જ આ ઉત્સવ ઉજવવાનો રહેશે, આ વર્ષે કોરોના વાઈરસની મહામારીને લીધે લોકડાઉન હોવાથી હરિનવમી ઉજવવા કોઈએ મંદિરે આવવાનું નથી. આજે રાત્રે આ દિવ્ય ઉત્સવ ખૂબ જ ઉત્સાહ-ઉમંગથી ઉજવાશે. જેના જીવંત પ્રસારણનો લાભ live.smvs.org પરથી લઈ શકાશે.

🕣 08:30 થી 10:00 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ
🕙 10:00 થી 10:10 હરિકૃષ્ણ મહારાજના દિવ્ય અભિષેક દર્શનનો લાભ
🥳 10:10 હરિકૃષ્ણ મહારાજના પ્રાગટ્યની આરતી

10:10 પ્રાગટ્યની આરતીમાં ઘરના દરેક સભ્યોએ સમૂહ આરતી અવશ્ય કરવી.

ℹ️ જે મુક્તોને શક્ય હોય તેમણે પોતાના ઘરે અભિષેકની વ્યવસ્થા કરવી, પંચાજીરીની પ્રસાદી બનાવવી. શીરો, ફ્રુટ, ડ્રાયફ્રુટ કે સાકર પણ ધરાવી શકાય. ઘરમંદિરમાં ઠાકોરજીને રાત્રે 10:30 વાગ્યે પોઢાડવા.



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe
🎂 શ્રીહરિ પ્રાગટ્યોત્સવનો લાઈવ લાભ લેવાનું ચૂકતા નહી હોં... મહારાજ આજે અઢળક વરસવાના છે...: https://youtu.be/y8hsj8b--Dk



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe




• • • • •
🪔 SMVS સ્વામિનારાયણ સંસ્થા વતી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો અને હરિભક્તોએ ગઈકાલે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દીપ પ્રગટાવીને કોરોના સામે લડત આપનારા તમામ સ્વયંસેવકોનો જુસ્સો વધાર્યો: https://youtu.be/cs4ULZkCVeA


#9pm9minute
#IndiaFightsCorona
#StayHomeStaySafe




• • • • •
🙏 કોરોનાથી વિશ્વને શાંતિ મળે તે માટે આવો ભેગા મળી કરીએ શાંતિપાઠ...

તા. 13-04-2020ને સોમવારના રોજ સવારે 10 થી 11 દરમ્યાન live.smvs.org પરથી શાંતિપાઠનો લાઈવ લાભ મળશે.

👇 લાઈવ શાંતિપાઠનો લાભ લેવા માટે ઘરમંદિર આગળ બેસવું અથવા ઘરમાં યોગ્ય સ્થાન પર ઠાકોરજીની મૂર્તિ પધરાવવી. શક્ય બને તો આટલી વસ્તુ વ્યક્તિગત તૈયાર રાખવી.
1) નાની થાળી 1 નંગ
2) પાણી ભરેલી નાની વાટકી અને ચમચી 1 નંગ
3) પૂંગીફળ (સોપારી) 1 નંગ
4) બાજોઠ
5) પોતાને બેસવા માટે આસન
6) પુષ્પ અથવા તુલસીપત્ર

ℹ️ જો ઉપરોક્ત સામગ્રીની વ્યવસ્થા ન થઈ શકે તો ઠાકોરજીની મૂર્તિ પધરાવી પાણીની વાટકી લઈને પણ શાંતિપાઠમાં જોડાઈ શકાશે.

😷 કોરોના વાઈરસની મહામારીથી આજે જ્યારે આખું વિશ્વ સળગી રહ્યું છે. ત્યારે વૈશ્વિક શાંતિ માટે થનારા આ શાંતિપાઠમાં સત્સંગી-બિનસત્સંગી તમામ ભાઈઓ-બહેનોને જોડાવા માટે અમારી નમ્ર અપીલ છે.

#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe
😷 વૈશ્વિક શાંતિ માટે કરવામાં આવેલાં LIVE શાંતિપાઠમાં SMVS સંસ્થાના ત્યાગી અને હરિભક્ત સમાજ સહિત 25,000થી પણ વધુ સભ્યોએ પોતાના ઘરે રહીને લાભ લીધો. કોરોના વાઈરસના કહેર સામે કરવામાં આવેલાં વૈશ્વિક શાંતિ પાઠમાં આપ પણ પરિવાર સહિત જોડાઓ: https://youtu.be/bfozAmwBk0U


#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe




• • • • •
🙏 વૈશ્વિક શાંતિ માટે કરવામાં આવેલાં LIVE શાંતિપાઠ તથા હરિભક્તોએ ઘરે કરેલાં શાંતિપાઠની ઝાંખી કરાવતાં ફોટોગ્રાફ્સ જોવા અત્યારે જ વિઝીટ કરો: https://smvs.org/global-events/detail/shanti-path-for-world-peace-covid-19


#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે 19-04-2020ને રવિવારે રાત્રે 08:30 થી 09:45 દરમ્યાન એટલે કે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે, તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.

👍 આપને કીર્તન આરાધના કેવી લાગી તે અમને જરૂર જણાવો: કીર્તન આરાધના દરમ્યાન LIVE Chatમાં અને live.smvs.org પર ફિડબેક ફોર્મની લિંક આપવામાં આવશે. આપને કયા મુક્તોની કીર્તન આરાધના કેટલી ગમી તે જરૂર જણાવશો. સૌથી સારા ફિડબેક મેળવનાર મુક્તો પર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી 21-04-2020ની ફેમિલી ટાઈમ સભામાં રાજીપો વરસાવશે.



#SMVSKirtanAradhana
#StayHomeStaySafe
આ માહિતી સમાજના તમામ નાગરિકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનિવાર્ય છે, માટે વધુ ને વધુ સભ્યો સુધી આ માહિતી પહોંચાડવી. અને સમાજસેવાના કાર્યમાં ભાગીદાર થવું.

😷 દિવસે દિવસે કોરોનાનું જોર વધી રહું છે. વળી ચોમાસાની શરૂઆત થઈ રહી છે. જેના લીધે શરદી, તાવ તથા અન્ય રોગો વધવાની શક્યતાઓ પણ વધુ છે. માટે આવા સંજોગોમાં ચિંતિત થવાને બદલે "ચેતતા નર સદા સુખી" કહેવતને ધ્યાનમાં રાખીને રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ.

🌐 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમગ્ર જનજીવનના હિતને ધ્યાનમાં રાખીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો અહીં જણાવ્યા છે. તો આવો, અહીં જણાવેલી બાબતોને અનુસરીએ અને આપણાં પરિવારના સભ્યોની રોગપ્રિતિકારક શક્તિ વધારીને કોરોનાની મહામારીને માત આપીએ: https://www.smvs.org/cms/corona-hdh-swamishri-aagnya



#COVID19Pandemic
#StayHomeStaySafe
#IndiaFightsCorona
#WorldFightsCorona
🎂 આવતીકાલે હરિનવમી છે. હરિનવમી એટલે આપણાં વ્હાલા સર્વોપરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ.

🎊 દરેક મુક્તોએ ઘરે રહીને જ આ ઉત્સવ ઉજવવાનો રહેશે, કોરોના વાઈરસની મહામારીને લીધે હરિનવમી ઉજવવા કોઈએ મંદિરે આવવાનું નથી. આ દિવ્ય ઉત્સવ ખૂબ જ ઉત્સાહ-ઉમંગથી ઓનલાઈન ઉજવાશે. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી, પ્રાગટ્યની આરતી, આનંદોત્સવ, સમૂહથાળ વિગેરેનો લાભ મળશે. સમગ્ર ઉત્સવના જીવંત પ્રસારણનો લાભ નીચે જણાવ્યા મુજબ મળશે.

🗓 તારીખ:
21 એપ્રિલ, 2021
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યે

📽 યુટ્યુબ: https://youtu.be/EkNHlwEdDw4
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🌐 વિગતવાર માહિતી: http://bit.ly/Shri-Hari-Pragatyotsav-2021-details



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe
🎂 આજે હરિનવમી છે.

🎊 આજે રાત્રે SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભગવાન સ્વામિનારાયણનો 240મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઓનલાઈન ઉજવાશે. સમગ્ર કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ નીચે મુજબ મળશે. માટે ઘરના તમામ સભ્યોએ મહારાજને રીઝવવા સમયસર તૈયાર રહેવું.

🗓 તારીખ:
21 એપ્રિલ, 2021
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યે (IST)

📽 યુટ્યુબ: https://youtu.be/EkNHlwEdDw4
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🌐 વિગતવાર માહિતી: http://bit.ly/Shri-Hari-Pragatyotsav-2021-details



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe